CHIRAG SHAH
જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ..... વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......
Monday 18 April 2022
Monday 2 October 2017
આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ
મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.
એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.
ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.
એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.
એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.
ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.
પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ?
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.
માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'
આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.
તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.
બીજું,,,
માણસનું ચારીત્ર્ય, તે કોની સોબત રાખે છે
તેના પર જ કેવળ અંકાતું નથી;
પણ એ કોની સોબત ટાળે છે;
એના પર પણ અંકાય છે.
Friday 10 October 2014
C H I R A G S H A H
Accountancy In My Life
Accountancy In My Life
My Life Is All Accountancy
What Comes, I Debit
What Goes, I Credit
My Birth Is My Opening Balance
My Ideas Are My Assets
My Negative Points Are My Liabilities
My Happiness Is My Profit
My Sorrow Is My Loss
My Soul Is My Goodwill
My Heart Is My Fixed Deposits
My Duties Are My Outstanding Expenses
My Work Is My Prepaid Expenses
My Friendship Is My Advance
My Character Is My Capital
Bad Thing - I Always Depreciate
Good Thing - I Always Appreciate
My Knowledge Is My Investment
My Mind Is My Bank Balance
My Thinking Is My Current A/c
My Behaviour Is My Journal Entries
My Aim Of Life Is My Trial Balance
My Death Is My Closing Stock
Thursday 11 April 2013
Monday 30 July 2012
Friday 8 June 2012
પ્રાર્થનાચિઠ્ઠી એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે…
પ્રાર્થનાચિઠ્ઠી એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે…
પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે,
વાદળાની વચ્ચે
મુ.આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારI ભવ્યમંદિરથી થોડે દૂર
આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય
છે.’હું શું કામ ભણું છું’
એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી
મળે છે એટલેમારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!
પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ
છું પણ હે ભગવાન તારી ઉપરઆરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,
આ મને સમજાતુ નથી…!
પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરેમધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?
પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!
સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું
છું…!
પ્રશ્ન -૪ . તારા પ્રસંગે
લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે
મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે
જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!
પ્રશ્ન -૫ . તને ખોટુ
લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ !
મેં સાભળ્યું છે કે તું તો અમારી
બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને
અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક
પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે
પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી
જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ
મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને
ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!
જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પસે…અને મારી પાસે પણ…!
લી.એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્.
=======================
ત્રણ વસ્તુ
વેપારમાં ત્રણ
વસ્તુની જરૂર છે……
હામ, દામ અને ઠામ
ત્રણ વસ્તુથી
પાછળ હઠો……..
પૂરનું પાણી, પાપ અને આગ
ત્રણ ગુણને
આવકારો…….
કરકસર, ઉદ્યોગ અને જ્ઞાન
અગ્નિ વગર
બાળનાર ત્રણ………
ક્રોધ, કપુત અને ક્લેશ
ત્રણ વસ્તુનો
સમાવેશ કરો……….
અહિંસા, દયા અને ઉપદેશ
ત્રણ ગુણથી આબરૂ
વધે……..
સત્ય, સદાચાર અને પરોપકાર
ત્રણથી દૂર ભાગો……..
આળસ, ખુશામત અને બકવાસ
ત્રણને માન આપો……
વડીલો, ન્યાય અને સંયમ
ત્રણ માટે લડો……..
આઝાદી, ઈમાન અને ઈંસાફ
Monday 4 June 2012
દોસ્તો જીદગીમાં આટલુ જરૂર કરજો.
બાળપણ વિતાવશો ક્રુષ્ણની જેમ,
વિધા અભ્યાસમાં થજો અર્જુન જેવા
ભોળા બનજો શ્રી રામ જેવા
ગુરુભકત બનજો એકલવ્ય જેવા
ભકત બનજો હનુમાન જેવા
હિંમતવાન બનજો અભિમન્યુ જેવા
બળવાન બનજો ભીમ જેવા
ભાઇ બનજો ભરત-લક્ષમણ જેવા
માબાપની સેવા કરજો શ્રવણ જેવી
ન્યાયી બનજો શીખી રાજા જેવા
દાનેશ્વર બનજો મેધ (વરસાદ) જેવા
છેલ્લે દાન કરો તો ચક્ષુદાન કરજો.
Monday 28 May 2012
માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે
(1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે !
(2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી !
(3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી !
(4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી !
(5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે !
મિત્રો,
આ પાંચેય ધારણાઓમાં આપણે આપણા દુ:ખ માટે "બીજાને" જવાબદાર માનીએ છીએ.એક વાત યાદ રાખજો , માણસ જયારે પોતાના સુખને"પરાધીન" બનાવી દે છે, ત્યારે તેને "પીડાધીન" બનતાં ભગવાન પણ અટકાવી શક્તો નથી !
આજનું શિક્ષણ
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વીમિંગપૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે
અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
'આઉટડેટ' થયેલો વડલો મારી કાઢે છે ભૂલો
પોઝિટિવ વિચાર
એક હબસી ગુલામ પોતાના માલિકના કૂવામાં પડી ગયો. માલિકે ગુલામની ચીસો સાંભળી કૂવામાં ડોકિયું કર્યું તો કૂવામાં પડેલા ગુલામને જોયો. તેને સહાનુભૂતિ થઈ અને વિચાર્યું કે ગુલામને કેવી રીતે બહાર કાઢું. પછી વિચાર આવ્યો કે અત્યારે ગુલામ કે કૂવો મારા માટે કંઈ કામના નથી. કૂવામાં પાણી નથી અને ગુલામ ઘરડો થયો છે, તેથી તેને પાડોશીને બોલાવ્યા અને કહ્યું કે કૂવામાં માટી નાખી હું કૂવો પૂરી દઈશ અને ગુલામને દફન પણ કરી દઈશ. કૂવામાં પડેલો ગુલામ આ જાણી એકદમ દુઃખી થઈ ગયો. મોત સામે દેખાયું, પણ ગુલામ ડહાપણવાળો હતો. વિચાર્યું કે જેમ જેમ લોકો માટી નાખશે તો જે માટી મને દફનાવા માટે નાખવામાં આવે છે તે માટી મારા માટે ઉપર ચડવાનો માર્ગ થઈ જશે. વિચારવું સહેલું છે પણ થોડી માટી ઉપર પડી કે તમ્મર આવી ગયા અને પગ ઢીલા થઈ ગયા, પણ ગુલામે હિંમત હારી નહીં અને જેમ જેમ માટી પડી તેમ ખંખેરી ઉપર આવવા માંડયો. છેલ્લે સાવ બહાર નીકળી ગયો. આપણી દરેક સમસ્યા ઉપર ચઢવાની સીડી છે, જો સકારાત્મક રીતે વિચારીએ તો.
Saturday 12 May 2012
આશીર્વાદ
એક વાર વહેલી સવારે દૂધવાળાના બે કેનમાં કાચબા ભરાય ગયા. પેહલા કેન ના કાચબાએ વિચાર્યું- “સફર ઘણું લાંબુ છે ને દૂધમાં છું એટલે મારું મરણ નિશ્ચિત છે” તેથી તે કેન માં નીચે બેસી ગયો. બીજા કેન ના કાચબાએ વિચાર્યું- ” આવું નસીબ કોનું હોય કે દૂધ માં સ્નાન કરવાનું મળે” તેથી તે કેનના ઉપરના ભાગમાં કુદાકુદ કરવા લાગ્યો. છેવટે દૂધવાળો તેના ગ્રાહક પાસે આવ્યો પેહલું કેન ખોલ્યું તો તેનું દૂધ બગડી ગયું હતું બધું દૂધ ધોળી નાખ્યું અને કેનમાંથી મરેલો કાચબો બહાર નીકળ્યો. બીજું કેન ખોલ્યું કે તરતજ તેમાંથી કાચબો બહાર નીકળી ગયો અને દૂધ માં ઘણી હલચલ થવાથી દૂધ માખણ બની ગયું હતું. વળી, માખણના દૂધવાળાને બમણા પૈસા મળ્યા.દૂધવાળાએ કાચબાનો આભાર માન્યો.સાર-પરિસ્થિતિ ગમે તે હોય હકારાત્મક વલણ આપનાવવાથી જીવન સફળ રીતે જીવી શકાય છે.એક કાચબો નકારાત્મક વલણના લીધે મુત્યુ પામે છે અને બીજો હકારાત્મક વલણના લીધે જીવનને મેળવે છે અને બીજા ના આશીર્વાદ મેળવે છે.
...અગ્નિપથ ...
વ્રુક્ષ હો ભલે ખડે, હો બડે હો ઘને, એક પત્ર ચાહ ભીમાંગ મત, માંગ મત, માંગ મત ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથતું ન નમેગા કભી, તું ન ઝુકેગા કભી, તું ન થકેગા કભી,કર શપથ.. કર શપથ..કર શપથ..અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...યે મહાન દૃશ્ય હૈ, ચલ રાહ મનુષ્ય હૈ, અશ્વસ્વેદ રક્ત સે,લથપથ...લથપથ... લથપથ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...
શિક્ષક દિન
ખુબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી કે ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ શિક્ષણ , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .
Subscribe to:
Posts (Atom)