welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Tuesday 8 May 2012

સુખ અને દુખ

સુખ અને દુખ એ જીવનનો બહુ મોટો ભાગ છે.જીવન માં સુખ અને દુખ તો તમામ ને આવે જ છે.માનવી ના જીવનમાં જયારે સુખ આવે છે ત્યારે તે બહુ ખુસ થાય છે પરંતુ જયારે દુખ આવે ત્યારે લોકો ભગવાનને જ ગુનેગાર ગણે છે અને બધો દોસ ભગવાન પર ઠાલવે છે.પરંતુ દુખ આવે ત્યારે પણ તેને સહજતાથી જ લેવો જોઈએ અને જીવનમાં સુખ તો દરેક ને જ આવે છે પરંતુ તેને બધા લોકો જુદી જુદી રીતે લે છે. અમુક લોકો દુખ આવે ત્યારે તેઓ બધાને બતાવે છે અને અમુક ના જીવન માં દુખ આવે તો પણ તેઓ કોઈ ને પણ ખબર પાડવા દેતા નથી ખુદ તેમના પરિવાર ના બીજા કોઈ સભ્ય ને પણ નહિ.
જયારે જીવન માં દુખ આવે,ગમે તેટલી મુસીબતો આવે પરંતુ તેમનો સામનો શાંતિ થી અને બુદ્ધિ થી કરવો તેનાથી ડરવું નહિ નહિ તો તે દુખ આપડાને વધારે ડરાવસે અને દુખ નો સામનો મગજ ને શાંત રાખીને કરવો.જયારે દુખ આવે ત્યારે ભગવાન પર દ્રઢ વિશ્વાસ રાખવો અને તમના પર ભરોસો રાખવો કેમ કે ભગવાન તમામને એક સારો રસ્તો જરૂર બતાવે જ છે પરંતુ તેના માટે તેમના પર ભરોસો અને થોડા ખંત થી કામ લેવું જોઈએ.
જીવન માં સુખ અને દુખ એ તડકા અને છાયડા જેવા જ છે એટલે સુખ આવે ત્યારે બહુ ખુસ નહિ થવાનું અને દુખ આવે ત્યારે તેનાથી બહુ ગભરાવવાનું નહિ.ભગવાન દરેક ને સુખ પણ આપે છે પરંતુ તેનો લાભ લોકો ને ઉઠાવતા નથી આવડતો અને તેઓ પછી હમેશ માટે દુખી જ રહે છે.જો આપડે જીવન માં હમેસ માટે સુખી જ રેવું હોય તો આપદા પર કોઈ દિવસ દુખ  ને હાવી થવા નહિ દેવાનું અને આપડે જ તેના પર હાવી થઇ જવાનું.જયારે માનવી બહુ જ ખરાબ રીતે દુખ માં સપડાય છે ત્યારે ભગવાન ખુદ જ તેનો ઉકેલ શોધી કાઢે છે. અને જો આપડે જયારે સુખ આવે ત્યારે જો તેને થોડી બીધ્ધી વાપરીને અને થોડી શાંતિ થી જો કામ લેવામાં આવે તો પછી આપડા પર દુખ ને બહુ હાવી થવા દેતું નથી એટલે સુખ આવે ત્યારે આપડે બહુ ગાંડા થઇ જવું નહિ.
માનવી જયારે દુખ માં સપડાય છે ત્યારે તેને એક તો ભગવાનની, પોતાની હિમત ની અને કોઈ ના સારા આશ્વાસન મળે છે ત્યારે તે બહુ ખુસ થાય થાય છે અને તેને આટલી જ વસ્તુ ની જરૂર હોય છે દુખ માં થી બહાર નીકળવા માટે.

pencil drawing