જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ..... વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......
Friday 8 June 2012
પ્રાર્થનાચિઠ્ઠી એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે…
પ્રતિ,
સ્વર્ગ લોક,નર્કની સામે,
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારI ભવ્યમંદિરથી થોડે દૂર
આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય
છે.’હું શું કામ ભણું છું’
પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ
છું પણ હે ભગવાન તારી ઉપરઆરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,
પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરેમધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?
પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!
પ્રશ્ન -૪ . તારા પ્રસંગે
લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે
મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે
જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!
પ્રશ્ન -૫ . તને ખોટુ
લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ !
મેં સાભળ્યું છે કે તું તો અમારી
બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને
અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક
પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે
પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી
જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ
મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને
ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!
ત્રણ વસ્તુ
વેપારમાં ત્રણ
વસ્તુની જરૂર છે……
હામ, દામ અને ઠામ
ત્રણ વસ્તુથી
પાછળ હઠો……..
પૂરનું પાણી, પાપ અને આગ
ત્રણ ગુણને
આવકારો…….
કરકસર, ઉદ્યોગ અને જ્ઞાન
અગ્નિ વગર
બાળનાર ત્રણ………
ક્રોધ, કપુત અને ક્લેશ
ત્રણ વસ્તુનો
સમાવેશ કરો……….
અહિંસા, દયા અને ઉપદેશ
ત્રણ ગુણથી આબરૂ
વધે……..
સત્ય, સદાચાર અને પરોપકાર
ત્રણથી દૂર ભાગો……..
આળસ, ખુશામત અને બકવાસ
ત્રણને માન આપો……
વડીલો, ન્યાય અને સંયમ
ત્રણ માટે લડો……..
આઝાદી, ઈમાન અને ઈંસાફ
Monday 4 June 2012
દોસ્તો જીદગીમાં આટલુ જરૂર કરજો.
બાળપણ વિતાવશો ક્રુષ્ણની જેમ,
વિધા અભ્યાસમાં થજો અર્જુન જેવા
ભોળા બનજો શ્રી રામ જેવા
ગુરુભકત બનજો એકલવ્ય જેવા
ભકત બનજો હનુમાન જેવા
હિંમતવાન બનજો અભિમન્યુ જેવા
બળવાન બનજો ભીમ જેવા
ભાઇ બનજો ભરત-લક્ષમણ જેવા
માબાપની સેવા કરજો શ્રવણ જેવી
ન્યાયી બનજો શીખી રાજા જેવા
દાનેશ્વર બનજો મેધ (વરસાદ) જેવા
છેલ્લે દાન કરો તો ચક્ષુદાન કરજો.
Subscribe to:
Posts (Atom)