welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Friday 8 June 2012





ત્રણ વસ્તુ



વેપારમાં ત્રણ વસ્તુની જરૂર છે……
હામ,
દામ અને ઠામ

ત્રણ વસ્તુથી પાછળ હઠો……..
પૂરનું પાણી,
પાપ અને આગ

ત્રણ ગુણને આવકારો…….
કરકસર,
ઉદ્યોગ અને જ્ઞાન

અગ્નિ વગર બાળનાર ત્રણ………
ક્રોધ,
કપુત અને ક્લેશ

ત્રણ વસ્તુનો સમાવેશ કરો……….
અહિંસા,
દયા અને ઉપદેશ

ત્રણ ગુણથી આબરૂ વધે……..
સત્ય,
સદાચાર અને પરોપકાર

ત્રણથી દૂર ભાગો……..
આળસ,
ખુશામત અને બકવાસ

ત્રણને માન આપો……
વડીલો,
ન્યાય અને સંયમ

ત્રણ માટે લડો……..
આઝાદી, ઈમાન અને ઈંસાફ