welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Saturday 12 May 2012

આશીર્વાદ

એક વાર વહેલી સવારે દૂધવાળાના બે કેનમાં કાચબા ભરાય ગયા. પેહલા કેન ના કાચબાએ વિચાર્યું- “સફર ઘણું લાંબુ છે ને દૂધમાં છું એટલે મારું મરણ નિશ્ચિત છે” તેથી તે કેન માં નીચે બેસી ગયો. બીજા કેન ના કાચબાએ વિચાર્યું- ” આવું નસીબ કોનું હોય કે દૂધ માં સ્નાન કરવાનું મળે” તેથી તે કેનના ઉપરના ભાગમાં કુદાકુદ કરવા લાગ્યો. છેવટે દૂધવાળો તેના ગ્રાહક પાસે આવ્યો પેહલું કેન ખોલ્યું તો તેનું દૂધ બગડી ગયું હતું બધું દૂધ ધોળી નાખ્યું અને કેનમાંથી મરેલો કાચબો બહાર નીકળ્યો. બીજું કેન ખોલ્યું કે તરતજ તેમાંથી કાચબો બહાર નીકળી ગયો અને દૂધ માં ઘણી હલચલ થવાથી દૂધ માખણ બની ગયું હતું. વળી, માખણના દૂધવાળાને બમણા પૈસા મળ્યા.દૂધવાળાએ કાચબાનો આભાર માન્યો.સાર-પરિસ્થિતિ ગમે તે હોય હકારાત્મક વલણ આપનાવવાથી જીવન સફળ રીતે જીવી શકાય છે.એક કાચબો નકારાત્મક વલણના લીધે મુત્યુ પામે છે અને બીજો હકારાત્મક વલણના લીધે જીવનને મેળવે છે અને બીજા ના આશીર્વાદ મેળવે છે.

...અગ્નિપથ ...


વ્રુક્ષ હો ભલે ખડે, હો બડે હો ઘને, એક પત્ર ચાહ ભીમાંગ મત, માંગ મત, માંગ મત ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથતું ન નમેગા કભી, તું ન ઝુકેગા કભી, તું ન થકેગા કભી,કર શપથ.. કર શપથ..કર શપથ..અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...યે મહાન દૃશ્ય હૈ, ચલ રાહ મનુષ્ય હૈ, અશ્વસ્વેદ રક્ત સે,લથપથ...લથપથ... લથપથ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...


શિક્ષક દિન

ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .